Screenshot_20240923-205113_Youth.jpg
Transcript
## સામાજીકરણની પ્રક્રિયાને અસર કરતાં વિવિધ પરિબળો દર્શાવો. **Ans.** સામાજીકરણ એટલે શિક્ષણની એવી પ્રક્રિયા કે જેનાથી સામાજિક રીતરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત્ થાય છે. વિવિધ સમાજો વચ્ચે થતી પારસ્પરિક આંતરક્રિયાના કારણે સામાજીકરણની પ્રક્રિયામાં ઝડપી પરિવર્તન આવે છે. વિવિધ...
## સામાજીકરણની પ્રક્રિયાને અસર કરતાં વિવિધ પરિબળો દર્શાવો. **Ans.** સામાજીકરણ એટલે શિક્ષણની એવી પ્રક્રિયા કે જેનાથી સામાજિક રીતરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત્ થાય છે. વિવિધ સમાજો વચ્ચે થતી પારસ્પરિક આંતરક્રિયાના કારણે સામાજીકરણની પ્રક્રિયામાં ઝડપી પરિવર્તન આવે છે. વિવિધ જ્ઞાતિ, ધર્મ, રીતરિવાજ, જીવનશૈલી જુદા જુદા સમાજમાં જોવા મળે છે તે પ્રમાણે બાળકનું સામાજીકરણ થાય છે. કુટુંબ પછી શાળા, ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય વગેરે સામાજીકરણને અસર કરતાં પરિબળો છે. ધાર્મિક રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકમાં ધર્મ કે રૂઢિ રિવાજો પ્રત્યે વિધાયક વલણ હોય છે. ભાષા, પ્રાંત અને ભૌગોલિક વિસ્તાર મુજબ ખાવાપીવાની ટેવો પણ સામાજીકરણનો ભાગ બને છે. સામાજીકરણ દ્વારા વડીલાને માન આપવું, મહેમાનોની આગતા સ્વાગતા કરવી કે પહેરવેશ વગેરે જેવી બાબતો સામાજીકરણ પર આધારિત છે.